Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ભુજમાં ભારતની ક્રાંતિકારી વીર સાવરકરની જન્મજયંતીએ મૂર્તિનું અનાવરણ

ભુજના હમીરસર તળાવના વચ્ચે આવેલા રાજેન્દ્ર બાગ બહાર વિનાયક દામોદર સાવરકરની પ્રતિમા મુકાઈ

અમદાવાદ :  આજે 28 મે ભારતના ઇતિહાસ માટે એક યાદગાર દિવસ છે. આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક મહાન ક્રાંતિકારી વીર સાવરકરનો જન્મ થયો હતો. સાવરકરની સ્મૃતિમાં કચ્છમાં પ્રથમ વખત અહીંના મુખ્યમથક ભુજ ખાતે તેમની પ્રતિમા મૂકવામાં આવી હતી. આવતી પેઢીઓ સાવરકર જેવા મહાન ક્રાંતિકારીઓના જીવનથી શીખી તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારે તે ઉદ્દેશ્યથી સામાજિક સંસ્થા અને નગરપાલિકાના સહયોગથી આ પ્રતિમાનું અનાવરણ તેમની જન્મજયંતિના દિવસે કરવામાં આવ્યું હતું.કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજ શહેર નગરપાલિકાના સહયોગથી ભુજના હમીરસર તળાવના વચ્ચે આવેલા રાજેન્દ્ર બાગ બહાર વિનાયક દામોદર સાવરકરની પ્રતિમા મુકવામાં આવી હતી. વીર સાવરકરની 139મી જન્મજયંતિ નિમિતે જ મૂર્તિનું અનાવરણ કરવાની ઈચ્છા સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના સહયોગથી કામ શરૂ કરવામાં આવ્યું હતું.

(12:38 am IST)