Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ધોરાજીના રાધાનગર વિસ્તારમાં "કામ નહીં તો મત નહીં" ના બોર્ડ લાગ્યા.

વર્તમાન સત્તાધીશો સામે રાધા નગરના રહીશોને રોષ

ધોરાજી:-ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ રાધાનગર સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તાના કામો નહી થતા લોકોમાં ભારે રોષ નજરે પડી રહ્યો છે.
ધોરાજીના રાધાનગર વિસ્તારમાં રોડ રસ્તાના કામો નહી થતા એ વિસ્તારના રહીશોએ રાધાનગર વિસ્તારમાં બોર્ડ લગાવી વર્તમાન સત્તાધીશો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો રાધાનગર સોસાયટી ની શેરીઓમાં લગાવાયેલા બોર્ડમાં લખવામાં આવ્યું હતું કે કામ નહીં તો મત નહીં .તેમજ રોડ રસ્તાના કામો ન થાય તો ચૂંટણીનો બહિષ્કાર તેમજ આ વિસ્તારમાં કોઈએ મત માગવા આવું નહીં એ પ્રકારના બોર્ડ રાધાનગર વિસ્તારમાં ઠેર ઠેર લગાવી નગરપાલિકા અને વર્તમાન તમામ સત્તાધીશો સામે એ વિસ્તારના રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

(11:00 am IST)