Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જામકંડોરણામાં કટોકટીના કાળા દિવસનાં વિરોધમાં ધરણા તથા સુત્રોચ્‍ચાર

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૨૮ :  ૨૫ જૂન ૧૯૭૫ના દિવસે તત્‍કાલીક વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધી દ્વારા જે કટોકટી લાદી દેવામાં આવી હતી. તેના વિરોધમાં જામકંડોરણા તાલુકા ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે મનાવી ધરણા તથા સુત્રોચ્‍ચાર સાથે કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુન મયંકભાઇ વિરડીયા, તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઇ વ્‍યાસ, વિઠલભાઇ બોદર, બાવનજીભાઇ બગડા, આશિષભાઇ કોયાણી, ધનજીભાઇ બાલધા સહિતના હોદેદારો તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી

(10:16 am IST)