Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભાવનગરમાં કોરોનાના વધુ ૬ કેસ : ૨૬ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ : ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનᅠ કોરોના ના ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે શહેરમાં એક સાથે ૨૬ દર્દીઓ કોરોના મુક્‍ત થતાં તેઓને ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા છે.

ભાવનગર શહેરમાં ખેડુતવાસ, ભરતનગર,ᅠ ઘોઘા સર્કલ અને દેસાઈનગર વિસ્‍તારમાં કોરોનાના ૫ કેસ નોંધાયા છે. જયારે ભાવનગર ગ્રામ્‍યમાં વરતેજમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો છે. આમ ભાવનગરજિલ્લામાંᅠ આજે કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાનાᅠ એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૮૮ રહેવા પામી છે.

(10:30 am IST)