Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

એચઆઇવીની બિમારીથી કંટાળી જુનાગઢના યુવાને ગળાફાંસો ખાધો

છોડવડની પરિણીતાએ પણ ફાંસો ખાધો

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૮ : એચ.આઇ.વી.ની બીમારીથી કંટાળીને જુનાગઢના એક યુવાને ગળાફાસો ખાય લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જુનાગઢમાં હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા ૪૪ વર્ષીય કિશોરભાઇ શામજીભાઇ ચાવડાએ સોમવારે પોતાના ઘરે ગળાફાંસો ખાયને મોતની સોડ તાણી લીધી હતી.

આ અંગે મૃતકના ભાઇ રામજીભાઇએ તેમના ભાઇ કિશોરભાઇ એચઆઇવીની બીમારી હોય અને તાજેતરમાં મોતીયાનું ઓપરેશન કરાવેલ, બીમારીથી કંટાળીને આત્‍મહત્‍યા કરી હોવાની જાણ કરતા સી ડીવીઝનના પી.એસ.આઇ. આર.ડી.ડામોરે આગળની કાર્યવાહી કરી હતી.

મોત

વિસાવદરના આંબલીયાપરામાં  રહેતા દેવીપુજક નારણભાઇ લક્ષ્મણભાઇએ તેમના પિતરાઇ ભાઇનાં મોતથી તબિયત ખરાબ રહેતી હોવાથી ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ગળાફાંસો

ભેંસાણનાં છોડવડી ગામના ર૪ વર્ષીય પરિણીતા અસ્‍મિતાબેન કરણભાઇ ગુજરાતીએ કોઇ કારણસર ગળાફાંસો ખાય લેતા પીએસઆઇ કે.એમ.ગઢવીએ તપાસ હાથ ધરી છે.

પડી જતા મોત

ધોરાજીના ૬પ વર્ષીય મોલાભાઇ પુંજાભાઇ રાઠોડનું જુનાગઢના ઇસાપુર ગામે વેવાઇના ઘરે અગાસી ઉપરથી પડી જવાથી મોત થયાનું જાણવા મળેલ છે.

(11:27 am IST)