Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ભાવનગરના ભગુડામાં માંગલધામ ખાતે નેત્ર નિદાન કેમ્‍પમાં સવા પાંચસો દર્દીઓએ લાભ લીધો લોહ સાહિત્‍યકાર માયાભાઇ આહીર સહિતની ઉપસ્‍થિતી

 

ભાવનગર : જાણીતા તીર્થસ્‍થળ શ્રી માંગલ ધામ ભગુડા તાલુકો મહુવા ખાતે ફ્રી નેત્ર નિદાન કેમ્‍પ યોજાઈ ગયો. જેમાં આજુબાજુના ગામોના મોટા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો. શ્રી રણછોડદાસજી આંખની હોસ્‍પિટલ રાજકોટના સૌજન્‍યથી યોજાયેલા આ નિદાન યજ્ઞમાં ૫૨૫ આંખના દર્દીઓને તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી જયારે ૩૬ જરૂરિયાત વાળા આંખનાં દર્દીને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા. આ લોક સાહિત્‍યકાર અને મંદિરના મેનેજિંગ ટ્રસ્‍ટી માયાભાઈ આહીર તેમજ સમગ્ર ટ્રસ્‍ટી મંડળ અને સેવકો ઉપસ્‍થિત રહ્યા હતા. અહીં સેવારત આંખના તજજ્ઞ તબીબને માંગલ ધામ ભગુડા વતી મેનેજીંગ ટ્રસ્‍ટીએ સ્‍વાગત કરી સન્‍માનિત કર્યા હતા.  (તસ્‍વીર -અહેવાલ : મેઘના વિપુલ હિરાણી -ભાવનગર)

(10:46 am IST)