Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જામનગરમાં ગળેફાંસો ખાઇને ૬૦ વર્ષના વૃધ્ધનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮ : જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારના નીલકમલ સોસાયટી શેરી નંબર ૧માં રહેતા કનકસિંહ નટુભા જાડેજા નામના ૬૦ વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તાત્કાલિક ૧૦૮ની ટીમને જાણ કરાઈ હતી. જેથી તાત્કાલિક ૧૦૮ ની ઘટના સ્થળે દોડી જઇ જોયું તો વૃદ્ધ મૃત્યુ પામ્યા હતા અને આ અંગેની તાત્કાલિક પોલીસને જાણ કરી મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે (તસ્વીર કિંજલઃ કારસરીયા જામનગર. 

(12:52 pm IST)