Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૂનાગઢના પ્રવાસે: ગીરનાર પર બિરાજમાન માં અંબાના દર્શન કરશે

ઉપરકોટની મુલાકાત લેશે: જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની મુલાકાત: કૃષિ યુનિ.ખાતે સુભાષ પાલેકર કૃષિ આધારિત કાર્યક્રમમાં સહભાગી થશે

જૂનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.૨૯ જુલાઇના રોજ જૂનાગઢના એક દિવસના પ્રવાસે આવનાર છે.

રાજ્યપાલ કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી ૧૧ કલાકે રોપ-વેના માધ્યમથી ગીરનાર પર બિરાજમાન માં અંબાના દર્શન પુજન માટે જશે. ત્યારબાદ ૧૧.૫૫ કલાકે ઉપરકોટની મુલાકાત લેશે.

રાજ્યપાલ બપોરબાદ ૨.૩૦ કલાકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની મુલાકાત લઇ અહિંની પ્રવૃતિનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ ૩ કલાકે કૃષિ યુનિવર્સિટી ઓડિટોરીયમ ખાતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજીત સુભાષ પાલેકર કૃષિ આધારિત આયોજીત કાર્યક્રમમાં સહભાગી થશે. રાજ્યપાલ સાંજે ૪.૩૦ કલાકે કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે કેન્દ્રીય મંત્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આયોજીત વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

 રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૂનાગઢ મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન તળે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

(6:44 pm IST)