Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત વધુ ૫૧ કેસો નોંધાયા જિલ્લામાં ૨,૬૦૪ કેસો પૈકી ૫૦૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર તા. ૨૮ : ભાવનગર જિલ્લામાં વધુ ૫૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૬૦૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૧૪  સ્ત્રી મળી કુલ ૩૦ કેસો નોંધાયા છે.

જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, ગારીયાધાર તાલુકાના વીરડી ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, ઘોઘા તાલુકાના માલપરા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના મલેકવદર ગામ ખાતે ૨, મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના અનિડા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના લુવારા ગામ ખાતેઙ્ગ ૧, પાલીતાણા તાલુકાના લાપરીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૨, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના તરસરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સોસીયા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૧૮ એમ કુલ ૩૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૬૦૪ કેસ પૈકી હાલ ૫૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૦૪૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:39 am IST)