Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વઢવાણ તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના નુકસાન બાબતે આવેદન

વઢવાણ : તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ હતી કે ખેડુત એકતા મંચ દ્વારા જે મુખ્ય મંત્રીને પત્ર લખીને રજુઆત કરેલ તેને અનુમોદન આપીએ છીએ અને ખેડૂતોના પાકમાં વધુ પ્રમાણમાં વરસાદથી જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે અને કીશાન સહાય યોજનામાં જે ૪૮ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ નોંધાય તો જ વળતરને પાત્ર ગણાય તેમાં સુધારો કરવા બાબત અને ખેડૂતોને તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કાંતિલાલ ટમાલીયા, વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, દશુભા, તાલુકા પંચાયત સદસ્યો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:32 am IST)