Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ગોંડલમાં માછલા પકડવા ગયેલા છગનભાઇ દેવીપૂજક નદીમાં ડૂબી ગયાઃ લાશ મળી

રાજકોટ તા. ર૮ :.. ગોંડલમાં ભગવતપરા પાસે નદીમાં માછલા પકડવા ગયેલા દેવીપૂજક યુવાનનું ડૂબી જતા મોત નિપજયું હતું.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ ભગવતપરા પાસે બોદનશાહ પીરની દરગાહ પાસે આજે સવારે નદીમાં અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણ થતા સીટીના પીએસઆઇ ડી. પી. ઝાલા તથા ફાયર બ્રીગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને બહાર કાઢી હતી. પોલીસ તપાસમાં મૃતક છગનભાઇ લાખુભાઇ વાઘેલા દેવીપૂજક હોવાનું અને આજે સવારે નદીમાં માછલા પકડવા જતા અકસ્માતે પડી જતા મોત નિપજયું હોવાનું ખુલ્યુ હતું. પોલીસે મૃતકની લાશને પી. એમ. માટે ગોંડલ હોસ્પીટલમાં ખસેડી હતી. આ બનાવથી દેવીપૂજક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(11:49 am IST)