Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સુરેન્દ્રનગર જિ.ભાજપ મહામંત્રી બાદ જિ.પ્રમુખ દિલીપ પટેલ કોરોના સંક્રમીત થયા

દિલીપ પટેલ પણ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે પ્રવાસમાં સાથે હતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૮: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાનો કહેર યથાવત રહેવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે પણ ૬ નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨૫૦ કરતા પણ વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના જિલ્લાના પ્રમુખ દિલીપભાઈ પટેલ અને મહામંત્રી શ્રી જગદીશભાઈ મકવાણાનો રિપોર્ટ પણ ગઈકાલે પોઝિટિવ આવતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ફફડાટ અને ચકચાર વ્યાપી જવા પામ્યો છે.ત્યારે થોડા દિવસ અગાઉ જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપ પટેલ અને મહામંત્રી શ્રી જગદીશભાઈને તાવ તાત્કાલિકપણે જગદીશ ભાઈ મકવાણા દ્વારા કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં ગઈકાલે તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા સમગ્ર સુરેન્દ્રનગર ભાજપ ના કાર્યકરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ આજે જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપભાઈ પટેલનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.જયારે સૌરાષ્ટ્રની સફરે નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુલાકાતે હતા તે સમયે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપભાઈ અને મહામંત્રી શ્રી જગદીશભાઈ મકવાણા તે સમયે સી આર પાટીલ સાથે એક જ કારમાં સવાર હતા.

(11:52 am IST)