Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાથી ૩ના મોત

અત્યાર સુધીમાં કોરાનાનો મૃત્યુઆંક ૩૧ પહોંચ્યોઃ નવા ૧૩ કેસ પોઝીટીવ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ :.. જિલ્લામાં કોરાનાની સીવીલ હોસ્પિટલમાં સારવાર લેતા ત્રણ દર્દીઓના મોત નિપજયાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાનાથી કુલ મૃત્યુઆંક ૩૧ પહોંચ્યો છે.

જિલ્લામાં કોરાના પોઝીટીવના નવા ૧૩ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કુલ આંક ૪૩૧ થયેલ છે.

નવા કોરાના પોઝીટીવના ૧૩ કેસમાં ઝૂંડાળામાં ૬૩ વર્ષના વૃધ્ધા, રાણાવાવના પ૪ વર્ષના આઘેડ, આદીતપરાના ૬૦ વર્ષના વૃધ્ધા, કુણવદરમાં ર૧ વર્ષનો યુવાનનો સમાવેશ થાય છે ઉપરાંત પોરબંદર શહેરમાં શહીદ ચોક ખારવાવાડમાં ૩૦ વર્ષનો યુવાન તેમજ જયુબેલી વિસ્તાર ખારવાવાડ વિસ્તારમાંથી કોરાના પોઝીટીવ કેસ આવેલ છે.

(12:49 pm IST)