Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર જિલ્લાના હડમતાળા ગામે કાળુંભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે રૂ. ૨ કરોડ ૫૩ લાખ મંજુર કર્યા

ચેકડેમ નિર્માણથી જળસ્તર ઊંચા આવશે

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કાળુભાર નદીતર ચેકડેમ બનાવવા માટે રૂ. ૨ કરોડ ૫૩ લાખની રકમ મંજુર કરેલ છે. ચેકડેમ ના નિર્માણથી આસપાસના જલસ્તર ઊંચા આવશે. ઊમરાળા-વલ્લભીપૂર વિસ્તારના પાણીની તંગી ભોગવતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ગયેલા ગામોની ૧૬૦ હેકટર વિસ્તાર જમીનમાં ચેકડેમ નિર્માણથી લાભ થશે અને જળસ્તર ઊંચા આવશે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પાણીની અછત નિવારી સુદ્રઢ જળ વ્યવસ્થાપન દ્વારા ગુજરાતને વોટર ડેફિસીટથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાના કરેલા સંકલ્પમાં ચેકડેમનું નિર્માણ વધુ બળ આપશે. હડમતાળા ગામે નિર્માણ થનારા ચેકડેમમાં ૧૧.ર૦ એમસીએફટી પાણીનો સંગ્રહ થશે અને સિંચાઇ સુવિધા પૂરતી મળતી થવાથી વિસ્તારના હડમતાળા, વાંગ્રધા અને તરપળ ગામોના ખેડૂતો ત્રણેય મોસમમાં પાક લઇ શકશે. ચેકડેમ નિર્માણમાં કોઇ હયાત ચેકડેમ, રસ્તો, ખેતર કે ખાનગી મિલ્કત ડૂબાણમાં જવાના નથી.

(10:21 pm IST)