Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગોંડલ બંધ કરાવવા નીકળેલાં કોંગ્રેસીની ધરપકડ

ગોંડલ : ત્રણ નવા કૃષિ કાનુન  ના વિરોધમાં કિસાન સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હોય  ગોંડલમાં બંધની કોઇ અસર જણાઇ નહોતી. જનજીવન પુર્વવત ધબકતું હતું.બીજી બાજુ બંધનાં સમર્થનમાં બંધ કરાવવા નીકળેલાં  કોંગ્રેસી આગેવાનો આશિષભાઈ રસિકભાઈ કુંજડિયા, યતિષશભાઈ ગોવિંદભાઈ દેસાઇ, જયસુખભાઇ રસિકભાઈ વઘાસિયા, દિલીપભાઈ નાગજીભાઈ સોજીત્રા, રૂષભરાજ વિક્રમભાઈ પરમાર, સિદ્ધાર્થ અશોકભાઈ વૈષ્ણવ, નિમેષ કેશવલાલ રૈયાણી, જય મનસુખભાઈ નાદપરા તેમજ સંદીપ અરવિંદભાઈ હિરપરા સહિતના ની જેતપુર રોડ ત્રણ ખુણીયા પાસે થી પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. (તસ્વીર-જીતેન્દ્ર આચાર્ય)

(12:06 pm IST)