Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વેણુના પુરમાં તણાયેલ ગીંગણીના ખેડુની શોધ

બન્ને બળદો મૃત હાલતમાં મળી આવ્યા

(અશોક ઠકરાર) જામજોધપુર તા. ર૮ :.. તાલુકાના ગીંગણી પાસે આવેલ વેણુ નદીના કોઝવેમાં પાણીના પુરના પ્રવાહમાં ગીંગણી ગામના ખેડૂત ધાન સુરભાઇ ગઢવી ગઇકાલે બપોર બાદ બળદ-ગાડુ લઇ નીકળતા પાણીના પ્રવાહમાં તણાઇ જતા ગામ લોકોને જાણ થતા જામજોધપુર મામલતદાર કચેરી તંત્ર, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, તાલુકા વિકાસ અધિકારી વગેરે ઘટના સ્થળે દોડી ગયેલ અને રેસ્કયુની કામગીરી આરંભી હતી.દરમ્યાન બન્ને બળદો સીદસર પાસેથી મૃત હાલતમાં મળી આવેલ જયારે ખેડૂત લાપતા હોય મોડી સાંજ સુધી મળી ન આવતા આજે ફરીથી શોધખોળની કામગીરી કરવામાં આવશે.

(12:12 pm IST)