Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

શ્રી રાજ નાગણેચી ગ્રુપ ચોટીલાથી માતાના મઢ કચ્છ જવા રવાના

ચોટીલા :દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોટીલા થી કચ્છ માતાના મઢ જવા ૧૫ પદયાત્રીઓ રવીવારનાં રવાના થયેલ છે. ૧૬ વર્ષથી આ ગૃપ દ્વારા પદયાત્રાનું આયોજન થયેલ છે જેઓ પ્રથમ નવરાત્રીયેમા આશાપુરાના દર્શન કરશે. દેશદેવીમા આશાપુરાના દર્શને ગામે ગામ થી પગપાળા સંદ્ય દર્શનાથે આવે છે અને દરેક પદયાત્રી પગપાળા યાત્રીઓ માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે,આશાપુરા માતાના મઢે નવરાત્રીની ઉજવણી ખુબજ હષોલ્લાશ સાથે ઉજવાય છે વર્ષો વર્ષથી મા આશાપુરાનો આઠમ હવન થાય છે, માઁ સાક્ષાત પૂજારી રાજાબાવાને પત્રી(ફૂલ) આપો આપ જોલીમા આપે છે, પછી જ માંના હવનનુ બીડું હોમાય છે. આ દર્શન નો લાભ લેવા મુંબઈથી ૧૦૦૦ કિલોમીટર થી સાયકલ લઈને દર્શનાથીઓ આવે છે. (તસ્વીરઃ હેમલ શાહ)

(12:13 pm IST)