Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

દામનગરમાં આયુર્વેદ સર્વરોગ નિદાન-કેમ્‍પ યોજાયો

દામનગર : શિશુકુંજ ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના આર્થિક સહયોગથી પંડયા ખાદી કાર્યાલય દામનગર ચલાલા અને વિશ્વ વાત્‍સલ્‍ય માનવ સેવા ટ્રસ્‍ટ-બગસરાના સંયુકત ઉપક્રમે આયોજીત વિનામુલ્‍યે આયુર્વેદ કુદરતી ઉપચાર સર્વરોગ નિદાન-સારવાર કેમ્‍પમાં ભાવનગરના અનુભવી અને અભ્‍યાસુ ડોકટરો રોગોનું નિદાન કરી, જરૂરી સારવાર જરૂરીયાત મંદ દર્દીઓને ડોકટરોની સુચના મુજબ વિનામુલ્‍યે દવાઓ શિશુકુંજ ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશન પરીવાર તરફથી ભેટ આપવામા આવી હતી કેમ્‍પમાં સાંધાના રોગો, વા ના રોગો, કબજીયાત પેટના રોગો, ચામડીના રોગો,સ્ત્રી રોગો ડાયાબીટીસ, બી.પી., માનસીક રોગો, હરસ, મસા, ભગંદર, અનિદ્રા વગેરે નાની-મોટી બીમારી બાબતે જરૂરી નિદાન કરી, જરૂરી સારવાર સુચવવામાં આપવામાં આવી આ  કેમ્‍પમાં નિષ્‍ણાંત ડૉ. મિલનભાઇ દવે,  ડૉ. શાંતભાઇ આસ્‍તિક, ડૉ.દીપકભાઇ પાઠક,   ડૉ. નિલેશભાઇ ખારસુરીયા, ડૉ. પ્રતિક્ષાબેન દવે, ભાવનગર દ્વારા સુંદર સમજ સાથે દર્દી ઓની સેવા સારવાર અને પરેજી થી અવગત કરાયા હતા આ કેમ્‍પમાં સાત્‍વિક સર્વોદય અગ્રણી પ્રાગજીભાઈ પટેલ કાઠીયાવાડ ખાદી મંડળ-ચલાલા  ગીતાબેન જાગાણી (આસોદર, લાઠી) ટ્રસ્‍ટી વિશ્વ વાત્‍સભ્‍ય માનવ ટ્રસ્‍ટ-બગસરાના દેવચંદભાઈ સાવલિયા વિનોદરાય ગાંધી દામનગર ખાદી કાર્યાલય દ્વારા દર્દી નારાયણોને ઉત્તમ આહાર સાદું જીવન સાત્‍વિકતા જીવન શૈલી  અંગે મનનીય માર્ગદર્શન અપાયું હતું આહાર વિહાર અને સાત્‍વિક જીવનશૈલી તરફ દોરી જતા નૈસર્ગિક સ્‍વાસ્‍થ્‍ય સાહિત્‍ય સ્‍ટોલ દ્વારા ઉત્તમ જીવન સર્વ સન્‍તુ નિરામયા ના સદેશ આપતા પુસ્‍તકોનું ૫૦% ના વળતર થી વેચાણ કરાયું હતું ખૂબ મોટી સંખ્‍યા માં દર્દી નારાયણો એ આર્યુવેદીક કેમ્‍પ નો લાભ મેળવ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર) 

(11:44 am IST)