Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વિસાવદરના સુપ્રસિધ્‍ધ કનકાઇ મંદિરે નવરાત્રિના પ્રથમ દિને માતાજીના ગરબાનું સ્‍થાપન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૭ : વિસાવદર તાલુકાના ગીર જંગલ વિસ્‍તારમાં આવેલ ૮૪ કુળ ના કુળદેવી કનકેશ્વરી માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે આદિ અનાદિકાળની પરંપરા મુજબ માતાજીના ગરબા નું સ્‍થાપન કરવામાં આવ્‍યું હતું. માતાજીના ગરબાના સ્‍થાપનના મુખ્‍ય મનોરથી છાયાબેન યોગેશભાઈ ભદ્રેશા પરિવાર કેનેડા રહ્યા હતા. આ પ્રસંગે કનકાઈ ટ્રસ્‍ટના પ્રમુખ નરેન્‍દ્રભાઈ જાની, મેનેજર દેવાંગભાઇ ઓઝા,ᅠ રાજુભાઈ મહેતા, ઉદય મહેતા અને વિમલ મીઠાણી ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:33 pm IST)