Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જિલ્લાના પ્રસિધ્‍ધ હરસિધ્‍ધિ માતાજીના મંદિરે ભકતોની કતારો લાગી !

પ્રથમ નોરતાએ ભાવિકો ઉમટયા

ખંભાળીયા તા. ર૭: યાત્રાધામ હરસિધ્‍ધિ માતાજીના મંદિરે ગઇકાલે પ્રથમ નોરતાના દિવસે દર્શન કરવા માટે ભાવિકો ઉમટતા કતારો લાગી હતી.

હરસિધ્‍ધિ માતાજીના મંદિર, કોયલા ડુંગર તથા સમુદ્રના કાંઠે રમણીય વાતાવરણ તથા ઐતિહાસિક પ્રતિમા સાથેના આ મંદિરમાં સવાર સાંજની આરતી પણ ખુબજ લાંબી અને અત્‍યંત સુંદર થતી હોય આરતીનો લાભ લેવા પણ ભાવિકો ઉમટયા હતા તથા મંદિર પાસે વાહનોની કતારો તથા ડુંગર ઉપર ચડવા તથા મંદિરમાં દર્શન માટે કતારો લાગી હતી.

કોરોના કાળના બે વર્ષ પછી મુકત રીતે દર્શન યોજાતા હોય ભાવિકો ઉમટયા હતા.

(1:42 pm IST)