Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગોંડલ શ્રીનાથજીધામ હવેલીમાં શ્રી ઠાકોરજીનો મહાદાન મનોરથ સંપન્‍ન

(અશોક જોશી દ્વારા) ગોંડલ,તા. ૨૮ : પૃષ્‍ટિમાર્ગીય આચાર્યશ્રીના સાનીધ્‍યમાં ગોંડલની શ્રીનાથજીધામ હવેલીમાં શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના સાનીધ્‍યમાં અહીંયા બીરાજતા પ્રભુનો મહાદાનનો મનોરથ મનોરથી કાન્‍તીભાઇ તથા ભાનુબેન માલવીયા પરિવારના મનોરથ સ્‍વરૂપે તથા શ્રી ભાવાત્‍મક ગિરિરાજજી પ્રતિષ્‍ઠા આપશ્રીના સાનીધ્‍યમાં શ્રી ગિરીરાજજીનું પુજન, પ્રદક્ષિણા સાથે નહીં આવતા દર્શનાર્થીઓને શ્રી ગિરિરાજજીના દર્શન, પ્રદક્ષિણાનો લાભ મળે તેવા ઉમદા આશ્રયથી આપશ્રીએ પ્રતિષ્‍ઠિાવિધી સંપન્‍ન કરાવેલ.

તથા સાત દિવસ ગોંડલના પ.ભ.શ્રી ભાસ્‍કરભાઇ અખેણીયા (સોની) પરિવાર દ્વારા આપશ્રીના સ્‍વમુખે શ્રી ભાગવતજીની કથાનું રસપાન તથા પૃષ્‍ટિસિધ્‍ધાંત, સેવા, રીતની સૌશ્રોતાજનોને આપશ્રીની રસમયશૈલીમાં વ્‍યાસપીઠ ઉપરથી કીર્તનગાન સાથે સંભળવેલ આ પ્રસંગે ભાગવતાચાર્ય શાષાી પ્રહલાદભાઇ તથા કરદમ ઋષિજીએ ઉપસ્‍થિત રહી શ્રી ભાગવતજીના પાઠ તથા સંચાલન સુંદર રીતે સંભાળેલ જયોતિરાદિત્‍યસિંહજી (ગણેશભાઇ) જાડેજા, વિઠ્ઠલભાઇ ધડુક તેમજ સ્‍થાનીક તથા બહારગામના વૈષ્‍ણવોએ ઉપસ્‍થિત રહી આચાર્યશ્રીના દિવ્‍ય વચનામૃતનો લાભ લીધેલ. સૌને કથાના મનોરથી હરિભાઇ સોની તથા ભરતભાઇ સોનીએ આવકારી સન્‍માનીત કર્યા હતા.

(12:12 pm IST)