Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સુત્રાપાડામાં આયુર્વેદિક સારવાર - ઔષધિ વિતરણ કેમ્‍પ

 સુત્રાપાડા : તાલુકાના વડોદરા(ઝાલા) ગામે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી  ગીરસોમનાથના વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ (RSS) ના સ્‍વયંસેવકો  વીરસિંહભાઇ ઝાલા તેમજ ચેતનકુમાર મોરીના સહયોગથી વડોદરા(ઝાલા)માં વિનામૂલ્‍યે આયુર્વેદિક, સારવાર અને ઔષધિ વિતરણ કેમ્‍પનું આયોજન કરેલું. ગામના વડીલો દ્વારા દીપપ્રાગટય કરવામાં આવ્‍યું. જેમાં દિલીપભાઈ કાળાભાઇ ઝાલા, ભીખાભાઇ ઝાલા, માજિસરપંચ નારણભાઇ ઝાલા, લાખાભાઇ મોરી, રામભાઈ ઝાલા, વડોદરા(ઝાલા) પ્રાથમિક શાળાના પ્રિન્‍સિપાલ ભરતભાઈ ખેર  શિક્ષક, દિનેશભાઇ પરમારની ઉપસ્‍થિત માં ૧૨૮ ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. મેડિકલ ઓફિસર નીલમબેન વાળાએ પોતાની સેવા આપેલી. આ ઉપરાંત રાષ્‍ટ્રીય પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદ અને પોષણ વિષય પર દર્દીઓને માર્ગદર્શન આપેલું. આ ઉપરાંત શરદ ઋતુ અંતર્ગત શક્‍તિવર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરેલ તેમજ યોગ યોગાઇન્‍સ્‍ટ્રક્‍ટર ભરતભાઈ ગોહિલ તેમજ અલ્‍પાબેન વાળા દ્વારા યોગશિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું. સમગ્ર કાર્યક્રમ સંયોજક નીલમબેન વાળા દ્વારા સંચાલન કરવામાં આવ્‍યું.(તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી સુત્રાપાડા)

(12:07 pm IST)