Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

બાબરામાં ધનતેરસે નેત્ર મેગા કેમ્‍પ યોજાશે

 બાબરા : ધૂળિયા પ્‍લોટ વિસ્‍તાર માં આવેલા કૈલાસ મોક્ષ ધામ ખાતે શિવાનંદ મિશન વીરનગર અને જીલ્લા અંધત્‍વ નિવારણ સમિતિના ઉપક્રમે મુખ્‍ય દાતા સ્‍વ.હેમકુવરબેન રમણીકલાલ ભુપતાણી પરિવારના સહયોગ કૈલાસ મોક્ષ ધામ કાર્યવાહક કમિટી ના આયોજન તળે પ્રતિ માસના ચોથા રવિવારે યોજાતા નેત્ર નિદાન અને સારવાર કેમ્‍પ માં ૬૦૦ થી વધુ દર્દી નારાયણોને વિનામૂલ્‍યે તપાસ અને જરૂર જણાતા તમામને ડ્રોપ્‍સ ટીપા તેમજ ૧૦૦ દર્દીને આંખના વિના મુલ્‍યે મોતિયાના ઓપરેશન કરી આપવા માં આવ્‍યા હતા  આયોજક અને દાતા પરિવાર ના જણાવ્‍યા મુજબ આ વિના મુલ્‍યે યોજાતા નેત્ર નિદાન સારવાર ઓપરેશન કેમ્‍પમાં સૌ કોઈ માટે વ્‍યવસ્‍થા ઉભી કરવા માં આવી છે દર્દી ને ઓપરેશન માટે શિવાનંદ મિશન દ્વારા વાહન મારફત વીરનગર ખસેડી ત્‍યાં રહેવા જમવા સહિત ની વ્‍યવસ્‍થા ફ્રી કરવામાં આવી છે અને તમામ દર્દી ને ઓપરેશન બાદ પરત વાહન મારફત બાબરા સુધી મુકી જવામાં આવે છે. આગામી તા.૨૩ ધનતેરસ ના દિવસે મેગા કેમ્‍પ નું આયોજન કરવામાં આવ્‍યું છે અને દરેક મહિના ના ચોથા રવિવારે કૈલાસમોક્ષ ધામ ખાતે અવિરત વિના મુલ્‍યે નેત્ર સારવાર ઓપરેશન નિદાન યોજાશે વધુ માં વધુ દર્દી લાભ લેવા દાતા આયોજક પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે. (તસ્‍વીર-અહેવાલ : દિપક કનૈયા બાબરા)

(12:28 pm IST)