Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ધોરાજીના નાનીપરબડી તથા ફરેણીમાંસ્ત્રીરોગ નીદાન કેમ્‍પ

ધોરાજી : સેવાભાવી દિલીપભાઇ ચાવડાની પુત્રી ડો.મીતલબેન ચાવડાને ડો.અનીરૂદ્ધ રાઠોડ ગાયનેક દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઘરઆંગણે નીદાન તથા વિનામુલ્‍યે દવાસ્ત્રીરોગને લગતી સમસ્‍યઓના નિરાકરણ માટે સેવાને અભીગમ ચાલુ કરેલ છે. જેમાં નાનીપરબડી તથા ફરેણીનાં અંદાજે ૧૧૦ દર્દીઓએ ભાગ લીધેલ હતો. આ સેવાકીય કાર્યને ગ્રામજનો તથા આગેવાનોએ બિરદાવેલ હતી. આ તકે ભારત વિકાસ પરિષદના ધીરેનભાઇ વૈષ્‍ણવ, રાજેશભાઇ વાગડીયા, અરવિંદભાઇ વાગડીયા, નાનજીભાઇ ગજેરા(સરપંચ), ગોપાલભાઇ ગજેરા(મંડળી પ્રમુખ), નારણભાઇ છાસીયા, જમનભાઇ રાબડીયા, પરેશભાઇ શીંગાળા, અનકભાઇ શેખવા, ભીખાભાઇ રાબડીયા, ધીરૂભાઇ રાબડીયા સહીતના લોકો હાજર રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઇ બોરીચા તથા તેમની ટીમે જહેમત ઉઠાવેલ હતી.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(12:42 pm IST)