Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જામનગરના દડીયામાં પ્રેમલગ્ન કરતા કુટુંબીજનોએ વહેવાર મુકી દેતા પરીણીતાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮:  જામનગર તાલુકાના દડીયા ગામે રહેતા મહેશભાઈ માધાભાઈ છૈયા એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર૭ ના રોજ બપોરના દોઢેક વાગ્‍યાના અરસામાં તેમની પત્‍નિ સોનુ ઉ.વ. ૩૧ એ જાહેર કરનાર સાથે ચારેક માસ પહેલા પ્રેમલગ્ન કરેલ હોય જેથી તેણીને તેમના ભાઈઓ તથા કુટુંબીઓ બોલાવતા નહીં તેમજ તેના પિતાને આંખે દેખાવાનું બંધ થયેલ અને માતા બીમાર રહેતા હોય તેની ચિંતાના કારણે તે અવાર નવાર ગુમસુમ રહેતી હોય જેથી પોતાના ઘરે ઓઢણી વડે છતના હુકમાં ગળેફાંસો ખાઈ મરણ થયેલ છે.

પરિણીતાને દુઃખ ત્રાસ આપી કાઢી મુકયાની રાવ

મુળ ભાણવડ અને હાલ સાતવડ મંદિર વાડીં જામજોધપુરમાં રહેતા નવીનભાઈ રામજીભાઈ ગોહીલની દિકરી  દિપ્‍તીબેન મુકેશભાઈ મહાલીયાએ પતિ મુકેશ દિલીપભાઈ મહાલીયા, સસરા દિલીપભાઈ, સાસુ જોસનાબેન, નણંદ છાયાબેન માલદેભાઈ ઘોયલ તથા નણદોયા માલદે વશરામએ ફરીયાદીને નાની નાની વાતમાં જેમ ફાવે તેમ ગાળો કાઢી ઝઘડો કરતા હોય તથા ચઢામણી કરી ઢીકાપાટુનો માર મારતા હોય જે દુઃખ ત્રાસ આપી માનસિક શારિરીક ત્રાસ આપી ઘરેથી કાઢી મુકી એકબીજાને મદદગારી કરી ગુન્‍હો કરેલ છે.

જુગાર રમતા પ શખ્‍સો ઝડપાયા

શેઠવડાળા પોલીસ મથકના એસ.એચ.જાડેજાએ તા. ર૭ ના રોજ બુટાવદર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા જેઠાભાઈ ગોવાભાઈ ગોજીયા, રમેશ રામાભાઈ ચંદ્રવાડીયા, ભાવેશ લખમણાઈ કાંબરીયા, મેણશીભાઈ વિક્રમભાઈ ચંદ્રવાડીયા, લખાભાઈ અરજણભાઈ કાંબરીયાને જુગાર રમતા રોકડ રૂા. ૧૦પ૮૦ સાથે ઝડપી પાડયા હતા.

નાગરચકલામાં યુવકે ગળેફાંસો ખાદ્યો

અહીં નાગર ચકલા પાસે આવેલ સોનીનો ડેલોમાં રહેતા હેત હિતેન્‍દ્રભાઈ પાઠક ઉ.વ. ર૪ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર૭ ના રોજ તેમના પિતા હિતેન્‍દ્રભાઈ યશેશચંદ્ર પાઠક ઉ.વ. ૪પ એ કોઈ અગમ્‍ય કારણોસર પોતાના ઘરે છતના હુંકમાં ગળેફાંસો ખાઈ મરણ થયેલ છે.

(1:40 pm IST)