Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

જામનગરઃ બીએસએનએલ પેન્‍શનરોના પ્રશ્ને રજૂઆત

જામનગરઃ ઓલ ઈન્‍ડીયા બીએસએનએલ પેન્‍શનર્સ એસોસીએશનની ગુજરાત સર્કલ તથા જામનગર બ્રાંચ દ્વારા ૧૩માં સ્‍થાપના દિનની ઉજવણીની સાથે નિવૃત કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા કેન્‍દ્ર સરકારને રજૂઆત કરી હતી. ગુજરાત સર્કલ તથા જામનગર ડીસ્‍ટ્રીકટ બ્રાંચ દ્વારા ઓલ ઈન્‍ડીયા બીએસએનએલ પેન્‍શનર્સ એસોસીએશનની ૧૩માં સ્‍થાપના દિનની ઉજવણીની કરવા માટે સર્કલ તથા ડીસ્‍ટ્રીકટ બ્રાંચના વર્કિંગ કમિટીના સભ્‍યોની સાથે મનુભાઈ બી. ચનિયારા, વી.ડી. ધમસાણીયા, આર.યુ. અંજારિયા, એન.એન. કનેરીયા, આર.એ. મહેતા, એસ.એસ. દુબે વગેરે આગેવાનો હાજર રહેલ. ઓલ ઈન્‍ડીયા બીએસએનએલ ડોટ પેન્‍શનર્સ એસોસીએશનની સ્‍થાપના દિલ્‍હી ખાતે કરવામાં આવેલ. સંસ્‍થાની સ્‍થાપના પછી પેન્‍શનર્સના અનેક પ્રશ્ને સફળ રજૂઆત કરેલ છે. પેન્‍શનરોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી તે તસ્‍વીર


 

(11:11 am IST)