Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ગોંડલનાં સાઢિયા પુલ પાસેનું ફાટક ૨૦ મિનીટ બંધ રખાતા ટ્રાફિકજામ

ગોંડલ,તા. ૨૮: છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલતા સાંઢિયા પુલ ઓવરબ્રિજના કારણે જેતપુર રોડ પરનો તમામ ટ્રાફિક તેની બાજુના ગાડા માર્ગથી ડાયવર્ટ કરાયો હોય ગત સપ્તાહે ફાટક પર નાં ગેટમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં આશાસ્પદ યુવાન સંજય ટીલાળાનું કમકમાટીભર્યું મોત નિપજતા રોષ ફેલાયો હતો અને તંત્ર દ્વારા ફાટક ના ગેટ મેન વિરુદ્ઘ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. અકસ્માતની દ્યટના બાદ રેલવે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ટ્રેન આવવાના સમયે ૨૦ મિનિટ ફાટક બંધ રાખવામાં આવતા હાલ વાહનચાલકો ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે.

આ અંગે ગોંડલ રેલવે સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે ટ્રેનના આવન-જાવન પહેલા ૨૦ મિનીટ ફાટક બંધ કરી શકાય છે જે લોકોની તકેદારીના ભાગને ધ્યાને લઇ ફાટક બંધ કરવામાં આવી રહ્યું છે જો વધુ પડતો ટ્રાફીક જામ સર્જાય તો ફાટક પર હાજર ગેટમેન ઓફિસીયલી જાણ કરે તો ફાટક ખોલવાની પરમીશન પણ આપી શકાય છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:46 am IST)