Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જયનારાયણ વ્યાસ ભાજપ સાથે છેડો ફાડી કોંગીમાં: ભાજપને ગણાવ્યો કોંગીયુકત પક્ષ

રાજકોટ,તા. ૨૮ : સિદ્ઘપુરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપી ચુકેલા દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ જોવા મળ્યા હતા. આ દરમિયાન ડો.જયનારાયણ વ્યાસ ૫૦૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. જયનારાયણ વ્યાસે કહ્યું કે, કોંગ્રેસ યુકત ભાજપ, કોંગ્રેસના ૩૭ ધારાસભ્યો ભાજપમાં ગયા છે. આ દરમિયાન તેમણે સિદ્ઘપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને મોટી જીતથી જીતાડવા હાકલ પણ કરી હતી.

તાજેતરમાં  શ્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું ત્યારે ચર્ચાઓ ચાલતી હતી કે તેઓ કોંગ્રેસમાં જશે કે આપમાં ? જોકે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, તેમણે કોંગ્રેસના હાથ પકડી લીધો છે. દરમિયાન ૨૯ ઓકટોબરના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ મળ્યા હતા. અને બંને નેતાઓ વચ્ચે સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે ૪૫ મીનિટ સુધી ચર્ચા ચાલી હતી. બીજા તબક્કાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની સિદ્ઘપુર બેઠકનો સમાવેશ થાય છે. સિદ્ઘપુર બેઠક પરથી ભાજપે બળવંતસિંહ રાજપૂતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમની સામે આ પહેલાં જય નારાયણભાઈ બે વખત પરાજિત થયા હતા. કોંગ્રેસે અહી ચંદનજી ઠાકોરને સિદ્ઘપુરની બેઠક પરથી ઉભા રાખ્યા છે.  આમ આદમી પાર્ટી તરફથી  સિદ્ઘપુર બેઠક પરથી આપના ઉમેદવાર મહેન્દ્ર રાજપુત ચૂંટણી લડી રહ્યા છે.

(1:33 pm IST)