Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સુરેન્દ્રનગરના રુસ્તમગઢ ગામમાં પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર પી કે પરમારનું બેજવાબદાર વર્તન

મહિલાએ ખરાબ રસ્તા મામલે રજૂઆત કરી તો ઉડાઉ જવાબ આપ્યો કે ભાજપને મત નથી આપ્યા તો કયાંથી કામ થાય: અમે રાજનીતિ કરીએ છીએ, કોઈ ભજન મંડળી ચલાવતા નથી. EVMમાં મત આપ્યા છે કે નહીં તે ખબર પડી જશે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન વિકાસના કામો ન થતા ગ્રામજનો નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. લોકો નેતાઓને સવાલ પૂછી રહ્યા છે કે, પાંચ વર્ષમાં રોડ સહિતના પ્રશ્નોના સમસ્યાનું નિરાકરણ કેમ થયું નથી. વચનો આપ્યા બાદ હજુ સુધી કેમ નવા રોડ બન્યા નથી.

 સુરેન્દ્રનગરના દસાડાના ભાજપના ઉમેદવાર પી કે પરમાર રુસ્તમગઢ ગામમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા. જયાં ગ્રામજનોને રોડ મુદ્દે ઉમેદવારનો ઉઘડો લીધો હતો.ભાષણ આપતા સમયે એક મહિલાએ ખરાબ રસ્તા મુદ્દે ભાજપના ઉમેદવારને રજૂઆત કરી હતી, ત્યારે પી કે પરમારે મહિલાને ઉડાઉ જવાબ આપ્યો હતો કે ભાજપને મત નથી આપ્યા તો કયાંથી કામ થાય. કોંગ્રેસેન મત આપીને ભાજપ પાસે કેવી રીતે આશા રાખી શકો. અમે રાજનીતિ કરીએ છીએ, કોઈ ભજન મંડળી ચલાવતા નથી. EVMમાં મત આપ્યા છે કે નહીં તે ખબર પડી જશે.તેવું એક ગુજરાતની ખાનગી ચેનલનો અહેવાલ જણાવે છે

 

(9:23 pm IST)