Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જૂનાગઢમાં ઝેરી પ્રવાહી પીવાથી બે રિક્ષાચાલકના મૃત્યુ

મૃતકોએ કૈફી પીણું પીધું હોવાની શંકા વ્યક્ત કરતા ધારાસભ્ય ભીખાભાઇ જોશી

જૂનાગઢ :જૂનાગઢમાં મોડીસાંજે ઝેરી પ્રવાહી પીવાથી બે રિક્ષાચાલકના મૃત્યુ થયાનું જાણવા મળે છે,

આ મામલે ધારાસભ્યે બંને મરનારે કૈફી પીણું પીધું હોવાની શંકા વ્યક્ત કરી છે,

 આ ઘટનાને પગલે ડીવાયએસપી ઘંઘાલ્યાં સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો,

ઘટના અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી,

શહેરના ગાંધીચોક ખાતેથી બે વ્યક્તિને ગંભીર હાલાતમાં સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવેલ પરંતુ ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા,

 પ્રાથમિક તપાસમાં મૃતકો રીક્ષા ચાલક હોવાનું જણાયું હતું,અને બંનેના મોત ઝેરી પ્રવાહી પીવાથી થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે,

 આ ઘટનાની જાણ થતા ચૂંટણી પ્રચાર પડતો મૂકી ધારાસભ્ય ભીખાભાઇ જોશી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં બને રિક્ષાચાલકના મોત કૈફી પીણું પીધું હોવાથી થયાની શંકા વ્યક્ત કરી હતી,જૂનાગઢ સહીત ગુજરાતમાં દેશી વિદેશી દારૂ વેચાતો હોવાનો આક્ષેપ કર્યો હતો,

  દરમિયાન આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ મીડિયાને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, ડીવાયએસપી ,સહીત પોલીસે ઘટના અંગે હજુ સુધી ઘટસ્ફોટ કર્યો નથી,

 ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સિંધવે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે વધુ કોઈને સારવાર માટે લાવવામાં આવ્યા નથી,બે મૃતકોને મામલે હજુ સુધી પ્રોહિબિશન જેવું કઈ જણાયું નથી

આમ છતાં જુદા જુદા એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે,

(12:22 am IST)