Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

જામનગરમાં નવા બંદર ઉપર ખાસ દરિયાઈ માર્ગે સદગુરુ જગ્ગી વાસુદેવનું થયું આગમન

ધર્મગુરુઓ અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ આપ્યો આવકાર : સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત ઢોલના તાલે તેમને આવકારવામાં આવ્યા

જામનગરમાં નવા બંદર ઉપર ખાસ દરિયાઈ માર્ગે  સદગુરુ જગ્ગી વાસુદેવનું આગમન થયું છે. રજવાડી ગાડીઓના કાફલા સાથે સેવ સોઈલ કેમ્પેન ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવ નવા બંદરથી સીધા જ નેવી ખાતે ગયા છે અને ત્યાર બાદ જામસાહેબની ત્યાં જઈને જામસાહેબ શત્રુશલ્યસિંહજીને મળનાર છે. જામનગરમાં પહોંચેલા સદગુરુ જગ્ગી વાસુદેવનું આગમન થતા ધર્મગુરુઓ અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ તેમને આવકાર આપ્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત ઢોલના તાલે તેમને આવકારવામાં આવ્યા હતા.( તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

 

(4:59 pm IST)