Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

વિસાવદરના જેતલવડ વિસ્તારમાં પશુઓને ત્વરિત ઘાસચારો ફાળવો : તા.પં. સદસ્ય અરવિંદ મહેતાની રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૯ : વિસાવદર તાલુકાના જેતલવડ તાલુકા પંચાયતની સીટ ઉપર ચુંટાયેલા કોંગ્રેસના સદસ્ય અરવિદભાઈ મહેતા દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વિસાવદર તથા પ્રાંત અધિકારી, વિસાવદર અને મામલતદાર, વિસાવદર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, અમારા મત વિસ્તારમાં પશુપાલકો તરફથી અમોને રજુઆત મળેલ છે કે,તોકતે વાવાઝોડાના કારણે આ વિસ્તારના પશુપાલકોએ સંગ્રહ કરેલ તમામ ઘાસચારો બગડી ગયેલ છે અને માલઢોરને ખવરાવવા માટે કશું નથી અને માલઢોરને ભૂખે મરવાનો વારો આવેલ છે ત્યારે જેતલવડ જમીનનો ધડો જે જગ્યાએ ઘાસની વિડી આવેલ છે તેમાં હાલ પૂરતા થોડા સમય માટે પશુઓને ચરાવવા દેવા માટે મંજૂરી આપવા માટે માંગણી કરેલ છે.

(11:24 am IST)