Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

લાઠીના વૃધ્ધાશ્રમમાં મુંબઇના ઉષાબેન માથુરીયા બેભાનઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૨૯: અમરેલીમાં લાઠી રોડ પર પોલિટેકનીક કોલેજ પાસે આવેલા દિકરાના ઘર વૃધ્ધાશ્રમમાં રહેતાં ઉષાબેન હર્ષદરાય માથુરીયા (ઉ.વ.૮૦) રાતે બેભાન થઇ જતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. આર. એસ. સાંબડે અમરેલી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધા પાંચેક વર્ષથી અહિ રહેતાં હતાં. તેમના એક પુત્ર મુંબઇ રહેતાં હોઇ વૃધ્ધાશ્રમના સંચાલકોએ તેમને જાણ કરી હતી.

(12:28 pm IST)