Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરો : સાવરકુંડલામાં આવેદન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૯ : એકતા એજ લક્ષ્ય સંગઠન ને ગુજરાત ના તમામ જીલ્લા અને તાલુકામાંથી આવેદનપત્ર આપ્યું છે અને રજુઆત કરી છે કે ગૌમાતા ને રાષ્ટ્ર માતા જાહેર કરો અને જે ગેરકાયદેસર રીતે ગૌમાતા ની હત્યા અને તસ્કરી થાય છે એ બંધ કરવામાટે એકતા એજ લક્ષ્ય સંગઠન સાવરકુંડલામાં મામલતદાર અને નાયબ મામલતદારને  આવેદનપત્ર આપ્યું છે.

 એકતા એજ લક્ષ સંગઠન સાવરકુંડલા કાનભાઈ માટીયા, રવિભાઈ લાડવા, રાઘવભાઇ મેર, નયનભાઈ રાદડિયા, મેરાભાઈ મેર માલધારી સમાજ પ્રમુખ, મેરાભાઈ રાનાણી જય ઠાકર ધણી હોટલ,

કરસનભાઈ મેવાડા માલધારી સમાજના અગ્રણી, મયુરભાઈ મેવાડા વછરાજ હોટલ સહિતના જોડાયા હતા.

(1:48 pm IST)