Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

વીરનગરના આધેડ વાડીએ સુતા'તા ત્યારે કરાઇ હત્યાઃ મરનાર ગોબરભાઇ ઉર્ફે શંકરભાઇ વેકરિયા (ઉ.૭૦) વાડીએજ રી એકલવાયું જીવન જીવતા હતા : હત્યાનું કારણ શોધવા પોલીસે જમીન અથવા સ્ત્રીપાત્ર છે કે કેમ ? તે દિશામાં તપાસ શરૃ કરી

(વિજય વસાણી દ્વારા) આટકોટઃ મુળ વીરનગરના અને સીમમાંજ વાડી ધરાવતા લેઉવા પટેલ ગોબરભાઇ ઉર્ફે શંકરભાઇ પોપટભાઇ વેકરિયા (.૭૦) ગઇરાત્રે પોતાની વાડીએ સુતા હતા ત્યારેજ કોઇએ તેની ગળાટુંપો આપી હત્યા કરી નાંખ્યાનું બહાર આવ્યું છે.

મૃતક ગોબરભાઇ ઉર્ફે શંકરભાઇ વાડીએજ રહી એકલવાયું જીવન જીવતા હતા તેઓની હત્યા પાછળ જમીન અથવા સ્ત્રીપાત્ર કારણ ભૂત છે કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ શરૃ કરી છે. આ હત્યા ગઇરાત્રે વાડીએ ગોબરભાઇ ર્ફિે શંકરભાઇ સુતા હતા તે વખતેજ કોઇએ આદરથી ગળે ટુંપો  આપી હત્યા કરાયાનું અનુમાન લગાવાઇ રહયુંછે. આ બનાવની વધુ તપાસ આટકોટના પી.એસ.આઇ. કે.પી.મેતા ત્થા રૃરલ એલ.સી.બી.સ્ટાફ ફોરેન્શીક નિષ્ણાંતોની મદદથી ચલાવી રહેલ છે.

(7:05 pm IST)