Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મોરબીના અધિક કલેકટર કેતન જોશીની નવસારી બદલી કરાઈ : ડેપ્યુટી ડીડીઓ પી વી વસૈયાને ગાંધીનગર મુકાયા

ગાંધીનગર રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા એન કે મુછારની મોરબી અધિક કલેકટર તરીકે નિયુક્તિ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા ૭૯ જીએએસ કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબીના અધિક કલેકટરની નવસારી ખાતે બદલી કરવામાં આવી છે

મોરબીના અધિક કલેકટર કેતન જોશીની બદલી નવસારી અધિક કલેકટર તરીકે કરવામાં આવી છે જયારે મોરબી ખાતે ગાંધીનગર રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા એન કે મુછારની મોરબી અધિક કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે મોરબીના ડેપ્યુટી ડીડીઓ પી વી વસૈયાની ગાંધીનગર બદલી કરાઈ છે જયારે જામનગરમાં ડેપ્યુટી ડીસ્ટ્રીકટ ઈલેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા એમ એમ જોશીની મોરબી ડીસ્ટ્રીક ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના ડીરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે

(7:24 pm IST)