Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નીમીતે રાત્રીના જ્યોત પૂજન, મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો ધન્ય બન્યા.

પ્રભાસ પાટણ :  પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે  માસિક  શિવરાત્રી નીમીતે  શ્રી સોમનાથ મંદિરે  રાત્રિના જ્યોતપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી  યોગેન્દ્રભાઇ દેસાઇ તથા ગીર સોમનાથ જીલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે દ્વારા કરવામાં આવેલ હતુ, આ પુજનમાં સોમનાથ સુરક્ષા ડિવાયએસપી એમ એમ પરમાર, ટ્રસ્ટના કો-ઓર્ડિનેટર ભાવેશભાઇ વેકરીયા, એક્ઝીક્યુટીવ ઓફિસર, જનરલ મેનેજર સાથે ટ્રસ્ટના અધિકારી/કર્મચારી, તીર્થપુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્યરાત્રીના 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવકૃપા પ્રાપ્ત કરી ભક્તો ધન્ય બન્યા હતા

(11:48 pm IST)