Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વાંકાનેરમાં ગાત્રાળ માતાજી તથા હનુમાન દાદાના સાનિંધ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

મહારાણા કેશરીદેવસિંહ દિગ્‍વિજયસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્‍થિતી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૨૯ : ગઢીયા વિસ્‍તારમાં બિરાજમાન પ્રસિધ્‍ધ ગાત્રાળ માતાજી તથા ગઢીયા હનુમાનદાદાના સાનિધ્‍યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ મુખ્‍યમહેમાન મહારાણા કેશરીદેવસિંહજી ડી.ઝાલા (વાંકાનેર સ્‍ટેટ)નો ઉપસ્‍થિતીમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિશેષમાં શૈલેશભાઇ ઠક્કર (સદસ્‍ય ગુજરાત પ્રદેશ ભા.જ.પ વ્‍યાપારી સેલ), રતીલાલ અણીયારી, મંત્રી નરેન્‍દ્રભાઇ પાટડીયા, પ્રજ્ઞેશભાઇ પટેલ (ચેમ્‍બર ઓફ કોમર્સ-વાંકાનેર), પરેશભાઇ મઢવી (પ્રમુખ શહેર ભા.જ.પ.) ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પ્રમુખ તાલુકા પંચાયત વાંકાનેર) હિરેનભાઇ ખીરૈયા, સર્કલ પોલીૃ ઇન્‍સપેકટર બી.પી. સોનારા સાહેબ, એન.આર. હુંબલ (નાયબ ઇજનરે પી.જી.વી.સી.એલ મોરબી), ર્પપાલ ઇજનરે એસ.આર. રાકજા, અલ્‍પેશભાઇ મોરબી, તેમજ ભુપતભાઇ છૈયા (પર્યાવરણ પ્રેમી) તથા અન્‍ય મહાનુભાવો  તથા ગાત્રાળ મંદિર તથા ગઢીયા હનુમાન મંદિરના સેવકો, કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:01 am IST)