Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

સમગ્ર દેશના લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજ આસ્થાના પ્રતીક ગણાતા આટકોટ બોખીરા (પોરબંદર) અને મજેવડી ખાતે અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

મજેવડી અને આટકોટ ખાતે ભવ્ય રથયાત્રા નીકળશે :; ભજન ભોજન અને સત્સંગ નો ત્રિવેણી સંગમ ત્રણ શહેરોમાં જોવા મળશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી:- સમગ્ર દેશમાં વસતા લુહાર સુથાર પંચાલ વિશ્વકર્મા સમાજના આસ્થાના પ્રતિક ગણાતા સંત શ્રી દેવતણખીદાદા તેમજ સતી માં લોયણદેવીના સાનિધ્યમાં અને રાજકોટ જિલ્લાના આટકોટ જૂનાગઢ જિલ્લાના મજેવડી પોરબંદર જિલ્લાના બોખીરા ગામ ખાતે ભવ્ય અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. 

    રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે શ્રી મહાસતી લોયણદેવ સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ આટકોટ દ્વારા અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે જે અંગે શ્રી મહાસતી લોયણ દેવી સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ જે.પી રાઠોડ એ જણાવેલ કે તારીખ 1 ને શુક્રવારના રોજ અષાઢી બીજના પાવન પ્રસંગે આટકોટ મા સતી લોયણદેવીના મંદિર ખાતે ભવ્ય અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે જેમાં સવારે 7:00 કલાકે મહાયજ્ઞ બાદ બપોરે મહાપ્રસાદ અને બપોરે 2:00 કલાકે માં સતી લોયણદેવી  માતાજી ના સાનિધ્યમાં વિશાળ રથયાત્રા નીકળશે રથયાત્રા આટકોટ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરશે તેમજ દિવસ દરમિયાન સંતવાણી લોકડાયરો યોજાશે સાંજે ચાર વાગે ધ્વજારોહણ અને રથ યાત્રાના સમાપન સમયે વિશાળ ધર્મ સભા યોજાશે આ ધર્મ સભામાં મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદજી ભારતીબાપુ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ગુજરાત સરકારના ઉદ્યોગમંત્રી જગદીશભાઈ પંચાલ પૂર્વ પ્રદેશ ભાજપના અગ્રણી ભગવાનદાસ પંચાલ રાજુભાઈ મકવાણા રાજકોટ પરસોત્તમભાઈ પિત્રોડા દાસકાકા અમદાવાદ અશ્વિનભાઈ ચૌહાણ અમદાવાદ નાથાભાઈ પિત્રોડા અમદાવાદ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડધોરાજી હસમુખભાઈ સોલંકી નીલકંઠ વિજયભાઈ મોહનભાઈ અમદાવાદ મુકેશભાઈ પંચાલ અમદાવાદ કાંતિભાઈ પીઠવા કાંતિલાલ પીઠવા સોનાર દીપકભાઈ રાઠોડ ભાવનગર અશોકભાઈ કવૈયા હસમુખભાઈ પંચાલ વિગેરે મહાનુભાવો તેમજ પૂર્વ મામલતદાર અને આઠસો વાર જમીન ના દાતા એવા એમ.ટી.સોલંકી સાહેબ વિનુભાઈ ડોડીયા ઢશા તેમજ પિયુષભાઈ પરમાર મહુવા પરેશભાઈ દાવડા રાજકોટ ભરતભાઈ રાઠોડ ભાવનગર પ્રવીણ ભાઈ મકવાણા અમરેલી કાંતિભાઈ વાઘેલા આટકોટ બકુલભાઈ પરમાર જસદણ વિજયભાઇ રાઠોડ જસદણ જયંતીભાઈ પરમાર રાજકોટ રાજુભાઈ સિધ્ધપુરા રાજકોટ ભરતભાઈ ચુડાસમા ભાવનગર ગોપાલભાઈ મારુ મોરબી વિનુભાઈ ડોડીયા ઢશા જીતેન્દ્રભાઈ ચુડાસમા સાવરકુંડલા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે

અષાઢી બીજ મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી મહા સતી લોયણદેવી સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ જે.પી રાઠોડ સ્વ.નારણભાઈ ડોડીયા પરિવાર રામજીભાઈ પરમાર વિનુભાઈ ડોડીયા રમેશભાઈ ડોડીયા ચંદુભાઈ વાઘેલા ભરતભાઈ મકવાણા વગેરે ટ્રસ્ટીશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

બોખીરા (પોરબંદર) દેવતણખીદાદા જન્મસ્થાન ખાતે અષાઢી બીજ મહોત્સવ

પોરબંદર જિલ્લાના બોખીરા ગામ ખાતે લુહાર સમાજના કુલ પોષણ સંત શ્રી દેવતણખી બાપાના જન્મસ્થાન ખાતે સંત શ્રી દેવતણખી બાપા તથા શ્રી લીરલ માતાજીના જન્મ સ્થળ બોખીરા ધામ શ્રી સમસ્ત લુહાર પંચાલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવશે

 

સમગ્ર ભારત વર્ષમાં વસતા સમસ્ત લુહાર પંચાલ સમાજના સંત શિરોમણી શ્રી દેવતણખી બાપા ની જન્મ ભૂમિ એટલે બોખીરા કામ કરી રહ્યું છે આ બોખીરા ધામ ખાતે તારીખ 30 ગુરુવાર અને તારીખ 1 6 શુક્રવાર અષાઢી બીજ નિમિત્તે ભવ્ય અષાઢી બીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માથાના પ્રમુખ અશોકભાઈ સિધ્ધપુરા એ માહિતી આપતા જણાવેલ કે બોખીરા સંત શ્રી દેવતણખી બાપા ના જન્મ સ્થાન ખાતે ભવ્ય અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવશે આ પ્રસંગે ભારતી આશ્રમ ભવનાથના મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતી બાપુ તેમજ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ તેમજ મહુવા કીકડિયા આશ્રમના મહંત શ્રી ભારતી બાપુ સંતો મહંતો ની હાજરીમાંઅષાઢી બીજ મહોત્સવ ઉજવાશે આ પ્રસંગે રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલ પોરબંદરના પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તેમજ કેશુભાઈ બોખીરીયા રાજુભાઈ કારડીયા નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ કિરીટભાઈ મોઢવાડિયા શહેર ભાજપ પ્રમુખશ્રી તેમજ રામદેવભાઈ બોખીરીયા માજી સરપંચ શ્રી બોખીરા વગેરે મહેમાનો તેમજ લુહાર સમાજ ના અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ દેવતણખી ધામ મજેવડી ના ઉપ-પ્રમુખ રાજુભાઇ પિત્રોડા ભરતભાઈ રાઠોડ ભાવનગર પરેશભાઈ દાવડા રાજકોટ પ્રવીણ ભાઈ મકવાણા અમરેલી મનોજભાઈ મિસ્ત્રી સુરત રાજેશભાઈ સિધ્ધપુરા અમદાવાદ સચિનભાઈ પીઠવા સુરેન્દ્રનગર અંકિતભાઈ મકવાણા અમદાવાદ રાજેશભાઈ પિત્રોડા જયેશભાઈ મકવાણા ઢસા કાજલબેન મકવાણા જુનાગઢ રાજેશભાઈ પંચાલ અમદાવાદ મયુરભાઈ પિત્રોડા મોરબી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે

આ પ્રસંગે રાજકોટના દેવતણખી ગ્રુપ ના પ્રવીણભાઈ કવૈયા દ્વારા સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમજ મહાયજ્ઞ મહા આરતી મહાપ્રસાદ અને સર્વ રોગ નિદાન કેમ્પનો પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

બોખીરા ખાતે અષાઢી બીજ મહોત્સવને સફળ બનાવવા માટે સંત શ્રી દેવતણખી દાદા બોખીરા ધામના પ્રમુખ અશોકભાઈ સિદ્ધપુરા ઉપપ્રમુખ પરેશભાઈ ગોહેલ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચૌહાણ અમદાવાદ મંત્રી શ્રી ભરતભાઈ કવા ખજાનચી દીપકભાઈ સિદ્ધપુરા સહમંત્રી મનોજભાઈ ગવા સંગઠન મંત્રી ધર્મેશભાઈ સિદ્ધપુરા પ્રચાર મંત્રી રોનકભાઈ ડોડીયા વ્યવસ્થાપક શ્રી ઈશ્વરભાઈ કવા વીજળી મહાનુભાવો જહેમત ઉઠાવી રહ્યા છે.

મજેવડી દેવતણખી ધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ સાથે 111મી વિશાળ રથયાત્રા નીકળશે

ધોરાજી જુનાગઢ વચ્ચે 13 કિલોમીટર દૂર આવેલ  પવિત્ર યાત્રાધામ દેવતણખીધામ મજેવડી ખાતે આ વર્ષે બે દિવસીય અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે અષાઢી બીજ મહોત્સવ માં સમગ્ર દેશમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે તારીખ 30 અને તારીખ 1 બે દિવસીય ભજન ભોજન અને સત્સંગ ત્રિવેણી સંગમ સાથે 111 મી રથયાત્રા ભવ્ય રીતે નીકળશે

ધોરાજી જૂનાગઢ વચ્ચે આવેલ મજેવડી ખાતે આજથી વર્ષો પહેલા અષાઢી બીજના પાવન પ્રસંગે સમગ્ર ગરવા ગિરનારની ગોદમાં તપોભૂમિ  રહી છે એવા મજેવડી ગામે લુહાર સમાજ ના સંત શ્રી દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલબાઈ એ દેવાયત પંડિત ના રથ નો ધરો સાંધવા બાબતે ચમત્કાર સર્જાયો હતો જે ઘટના પછી નાના એવા ગામના લોકોને ચમત્કારની ખબર પડતાં ભગવાનથી વિશેષ સંત ન હોય એ ભાવનાથી સંત શ્રી દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલબાઈ અષાઢી બીજ ના શુભ મુહૂર્ત એ જીવતા સમાધિ લીધેલી એ પછી આજે સમગ્ર ભારત વર્ષમાં ચેતન સમાધી દેવતણખી ધામ મજેવડી ખાતે અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવે છે

આ સમયે દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહિલ જુનાગઢ, ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા ગોંડલ,અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મંત્રી રમેશભાઈ કારેલીયા જુનાગઢ, સહમંત્રી પ્રવીણભાઈ દાવડા ધોરાજી, ખજાનચી પ્રવીણભાઈ કારેલીયા જુનાગઢ, ટ્રસ્ટી જયંતીભાઈ પરમારડોડીયાળાવાળા,ટ્રસ્ટી જગદીશભાઈ કારેલીયા મજેવડી અશોકભાઈ વાઘેલા પિયુષભાઈ લુહાર મહુવા ધોરાજી વિગેરે સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા ત્યારે અષાઢી બીજ મહોત્સવ તૈયારીના ભાગરૂપે પ્રમુખ શ્રી શાંતિલાલ ગોહિલ જણાવેલ કે ધોરાજી જૂનાગઢ વચ્ચે આવેલ મજેવડી ગામ ખાતે ચેતન સમાધી સ્થાન એટલે દેવતણખી ધામ સૌરાષ્ટ્રમાં યાત્રાધામ તરીકે પ્રખ્યાત દેવતણખી ધામ મજેવડી મા તારીખ 30 અને તારીખ 1 બે દિવસ સુધી અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવશે આ પ્રસંગે તારીખ 30 ને ગુરુવારના રોજ સવારે 6:30 કલાકે દેવતણખી દાદા અને લિરલબાઈ નીચેતન સમાધિસ્થાન ખાતે મહાઆરતી યોજાશે સવારે 7:00 કલાકે 151  રાંદલ માના લોટા ઉત્સવ ઉજવાશે  તેમજ સવારે 08:00 કલાકે દેવતણખી ધામ ની નવી જમીન લીધી છે છે ત્યાં શુદ્ધિકરણ મહાયજ્ઞ યોજાશે બપોરે 12 કલાકે મહાપ્રસાદ સાંજે 7:15 કલાકે સંધ્યા મહા આરતી અને રાત્રિના આઠથી મહાપ્રસાદ બાદ રાત્રીના 9:00 કલાકે ભવ્ય સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલું છે

તારીખ 1 ને શુક્રવાર અષાઢી બીજ ના રોજ સવારે 6:30 કલાકે મહાપૂજા આરતી બાદ સવારે 10:00 કલાકે પરમ પૂજ્ય સંત શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાશે આ સભામાં સમગ્ર દેશમાં વસતા ભામાશા નું સન્માન કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલ ખાસ ઉપસ્થિત રહેશે તેમજ અતિથિ વિશેષ પદે ઉદ્યોગપતિ તેમજ ભામાશા પરસોતમભાઈ બચુભાઈ ચિત્રોડા દાસ કાકા તેમજ શંકરભાઈ ધરમશીભાઈ સોલંકી ગાંધીનગર વીગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને સામાન્ય સભા માં સમાજના  સેવાભાવી લોકો દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવશે બાદ બપોરે 1:00 કલાકે મહાપ્રસાદ યોજાશે

111 મી વિશાળ રથયાત્રા નીકળશે

દેવતણખી ધામ મજેવડી ખાતે 111 મી રથયાત્રા વિવિધ શણગારેલા ફલોટ સાથે દેવતણખીધામ મજેવડી મંદિર ખાતે થી પ્રારંભ થશે જે મજેવડી ગામના વિવિધ માર્ગોઉપર ફરશે અને દેવતણખી દાદા ના જુના નિવાસસ્થાન ખાતે માતાજી લીરલબાઈ ના મામેરા  બાદ સાંજે 6:00કલાકે ધ્વજારોહણ અને રાત્રીના 10:00 રામદેવજી મહારાજ ના પાઠ યોજાશે

દેવતણખી ધામ મજેવડી ના ટ્રસ્ટી શ્રીઓ એ જણાવેલ કે અષાઢી બીજમહોત્સવ એટલે સમગ્ર ભારત વર્ષમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો માટે અનેરો ઉત્સવ ગણાય છે અને સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહેશે

આ સાથે સંસ્થાના ટ્રસ્ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળા વાળા દ્વારા દર વર્ષે આયોજિત દેવતણખી દાદા ના જીવન ચરિત્ર ઉપર ધાર્મિક પ્રદર્શન યોજવામાં આવે છે , 

તેમજ 111 મી રથયાત્રાના પાવન પ્રસંગે વિવિધ શણગારેલા ફલોટ પણ તેઓ રજુ કરશે

અષાઢી બીજ મહોત્સવ ને સફળ બનાવવા માટે દેવતણખી ધામના ટ્રસ્ટીશ્રીઓ શાંતિભાઈ ગોહિલ, રાજુભાઈ પિત્રોડા, રમેશભાઈ કારેલીયા, પ્રવીણભાઈ દાવડા, પ્રવીણભાઈ કારેલીયા, વલ્લભભાઈ પરમાર, પરસોત્તમભાઈ પિત્રોડા દાસકાકા, જયંતીભાઈ  હરસોરા, નિરંજનભાઇ પરમાર ,અતુલભાઈ મકવાણા, ભીખાભાઈ ડોડીયા, જયંતીભાઈ પરમાર, ધીરજલાલ ગોહિલ, ભરતભાઈ પીઠવા, મહેશભાઈ ગોહેલ, જગદીશભાઈ કારેલીયા, મનોજભાઈ વાઘેલા, લવજીભાઈ વાળા, હરેશભાઈ પીઠવા, નાગજીભાઈ સોલંકી, દિનેશભાઈ કારેલીયા, વિગેરે ટ્રસ્ટીશ્રીઓ તેમજ ધોરાજી જૂનાગઢ ગોંડલ જેતપુર વિસ્તારના સમાજના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે

આ સાથે અષાઢી બીજ મહોત્સવને સફળ બનાવવા માટે મજેવડી ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રી તેમજ શહેરના તાલુકાના આગેવાનો અને જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા સહયોગ મળી રહ્યો છે.

(11:48 am IST)