Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જામનગરના બર્ધન ચોકમા સિંધી માર્કેટમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી દરમિયાન દિવાલ તૂટતાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના ૩ કર્મચારીઓને ઇજા

એસ્ટેટ અધિકારી એન. આર. દીક્ષિત સહિતના અધિકારીઓ દોડી ગયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સિંધી માર્કેટમાં  ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના ત્રણ કર્મચારીઓને દિવાલ તૂટતાં ઇજા થઇ હતી. 

    આ  કામગીરી દરમિયાન અજયસિંહ ચુડાસમાને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે ગોપાલભાઈ ખાણધર અને આવેશભાઈ મકરાણી ને પણ ઇજાઓ પહોંચી હતી.

         જેથી તાત્કાલિક મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી એન. આર. દીક્ષિત અને અન્ય અધિકારીઓ દોડી જઇ જી જી હોસ્પિટલમાં સારવાર અપાવી રહ્યા છે. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(12:15 pm IST)