Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મોરબી નહેરુ ગેટ પાસે પાલિકા ની બેદરકારીથી ઉભરાતી ગટરના પાણી અને કચરાના ઢગલાઃ કોઈ સુધરાઇ સભ્યને દેખાતા નથી? રમેશ રબારી

 

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨૯: મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ છે.

મોરબી શહેરના હાર્દ સમાન નહેરુ ગેટ પાસે રોજ સવાર સાંજ હજારો લોકો આવન જવન કરે છે તેમાં પાલિકાના અધિકારી પદાધિકારીઓ પણ ત્યાંથી નીકળે છે પણ આ લોકો ને છેલા ત્રણ દિવસથી જય હિંદ ટોકીજ પાસે મેઇન રોડ નહેરુ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાય છે અને ગટર નો ગંદો કચરો પણ ઉપાડિયા વગર નો રોડ રસ્તા ઉપર પડિયો છે તે દેખતો નથી આં નિષ્ફળ અને પ્રજા વિરોધી ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મોરબીના હાર્દ સમા નહેરુ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી દેખાતા નથી કે જાણી જોય ને કામ કરતા નથી એ પ્રજા એ સમજવા માગે છે ? આ ઉભરાતી ગટરના ગંદા પાણી અને કચરાની દુર્ગંધ થી લોકો પરેશાન થઈ ગયા છે અને રોગચાળો નો ફેલાવો થાય તે પહેલાં આં ગંદકી દૂર કરવા લોકોની લાગણી અને માંગણી છે.

ભાજપ શાસિત નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીની પ્રેસ યાદી જણાવે છે.

(4:34 pm IST)