Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ભાવનગરમાં રથયાત્રા રૂટ પર પોલીસની ફ્લેગમાર્ચ: પોલીસ તંત્ર દ્વારા ૧૮ કિલોમીટરના રૂટ પર ફલેગમાર્ચ યોજાઈ

શહેરના સવેદનશીલ વિસ્તાર ગણાતા ઘોઘાગેટ ચોકથી ક્રેસન્ટ સર્કલ સુધી ફૂટ પેટ્રોલિંગ કરી ધાબા પોઈન્ટ સહીતના વિસ્તારનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયું

 ભાવનગર :સમગ્ર ભારતમાં ત્રીજા નંબર ની અને ગુજરાતમાં બીજા નંબરની ભાવનગર શહેર માં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે આજે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ૧૮ કિલોમીટરના રૂટ પર ફલેગમાર્ચ યોજવામાં આવી હતી. તેમજ શહેરના સવેદનશીલ વિસ્તાર ગણાતા ઘોઘાગેટ ચોકથી ક્રેસન્ટ સર્કલ સુધી ફૂટ પેટ્રોલિંગ કરી ધાબા પોઈન્ટ સહીત ના વિસ્તાર નું ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.(વિપુલ હિરાણી)

(8:37 pm IST)