Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સુરેન્દ્રનગરના થોરીયાળીમાં જીવંત વિજ વાયર પડતા ડમ્પર ચાલકનું મોત : વિજ તંત્ર સામે રોષ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૯ : સુરેન્દ્રનગરના થોરીયાળી ગામે દૂધની ડેરી પાસેથી પસાર થતાં જીવંત વાયર ડમ્પર પર પડતા ડમ્પર ચાલક દશરથભાઇ ભાવુભાઇ કાનજીયાને વિજ શોક લાગતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. જેમાં વીજશોર્ટથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા દશરથભાઇ ભાવુભાઇ કાનજીયાનું મોત નિપજતા પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી હતી.પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે મોત નિપજતા પરિવારજનો સહિત લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(11:34 am IST)