Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોરબીના ચાંચાપર ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત.

ખેતમજૂરી કામ કરતા પિન્ટુભાઈ હરમાભાઈ છપનિયાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું

મોરબી : મોરબીના ચાંચાપર ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ચાંચાપર ગામે આવેલ વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતા પિન્ટુભાઈ હરમાભાઈ છપનિયા (ઉ.વ..22) નામના યુવાને ચાંચાપર ગામથી રામેશ્વર રોડ પરના વિસ્તારમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું .બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(10:36 pm IST)