Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રવિવારે કોરોના વેક્સિનનો બીજો ડોઝ જ અપાશે.

વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા ધક્કો નહીં ખાતા : રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાત

મોરબી : રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી લોકોને સુરક્ષિત કરવા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં આગામી તા.1 ઓગસ્ટના રોજ માત્ર પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને જ કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.
  રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.1 ઓગસ્ટના રોજ તમામ વેક્સિનેશન સેન્ટર ઉપર જે નાગરિકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેમના માટે બીજો ડોઝ આપવામાં આવશે, જેથી લોકોને હેરાનગતિ ન થાય તે માટે પ્રથમ ડોઝ લેવા માંગતા લોકોએ રસીકરણ કેન્દ્ર ઉપર ન આવવા જણાવાયું છે

(10:37 pm IST)