Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રાજકોટ નાગરિક સહકારી બેંક ધોરાજી શાખામાં રાજ્ય સરકારની આત્મનિર્ભર લોનના ચેકોનું વિતરણ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરાયું

covid-19 મહામારી ના સમયમાં રાજ્ય સરકારે આત્મનિર્ભર પેકેજ જાહેર કરતા અનેક પરિવારોને કપરા સમયમાં બહાર આવવાનો સમય મળ્યો :જયેશભાઇ રાદડીયા : ધોરાજી શાખામાં ૬૫૧ લોકોને આત્મનિર્ભર અરજીનો નિકાલ કરી સાત કરોડ રૂપિયાની લોન આપી : કાર્તિકેય પારેખ

ધોરાજી::::ધોરાજી રાજકોટ નાગરિક સહકારી બેંક લી ખાતે આત્મનિર્ભર લોન ના ચેકનું વિતરણ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું

       રાજકોટ નાગરિક સહકારી બેંક ધોરાજી શાખા તે આત્મનિર્ભર યોજના હેઠળના લોન ચૂકવવાનો પ્રતિક રૂપે ચેક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો

       રાજકોટ નાગરિક સહકારી બેંક ધોરાજી શાળા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી  જયેશ ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા ઉપસ્થિત રહેલ સાથે સાથે પ્રાંત અધિકારી શ્રી મિયાણી  ઉપસ્થિત રહેલ પ્રભારી ડિરેક્ટર શ્રી કાર્તિકેય પારેખ ધોરાજી શાખાના કન્વીનર  લલીતભાઈ વોરા ધોરાજી શાખાના જોઈન્ટ કન્વીનર  કરસનભાઈ  માવાણી તથા ધોરાજી શાખા ના સ્થાનિક સલાહકાર સમિતિના સભ્યો  ચુનીભાઇ સંભવાણી ચંદુભાઇ ચોવટીયા  મગનભાઈ સાપરિયા હાજર રહેલ અને લાભાર્થીઓને ચેક વિતરણ કરેલ આ તબક્કે કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી ચીફ મેનેજર શ્રી હિતેશભાઈ શુકલએ કરેલું હતું.

       સ્વાગત પ્રવચનમાં પ્રભારી ડિરેક્ટર કાર્તિકેય પારેખ એ જણાવેલ કે ગુજરાતની સંવેદનશીલ સરકારે કોરોના કાળમાં નાના વેપારીઓને સહાયરૂપ થવા માટે આત્મનિર્ભર એક અને આત્મનિર્ભર બે આવી યોજનાઓ આપેલી છે. યોજનામાં ગુજરાત રાજ્યમાં રાજકોટ નાગરિક સહકારી બેંક તરફથી વધુ ધિરાણ કરેલ છે અત્યાર સુધીમાં 145 કરોડ ના આત્મનિર્ભર વનના 14900 લોકોને ધિરાણ આપવામાં આવેલ છે તથા આત્મનિર્ભર ટૂંકમાં 1900 લોકોને ૨૬ કરોડથી વધારે ધિરાણ આપવામાં આવેલ છે. ધોરાજી શાખાએ 651 લોન અરજીઓનો નિકાલ કરી અને સાત કરોડ રૂપિયાના નાના વેપારીને ધિરાણ આપેલ છે જેનું વ્યાજની સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવવાની છે આટલા ટૂંકા ગાળામાં આટલી બધી લોન અરજીઓ કરવા બદલ શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી પ્રવીણભાઈ કુંયાણી લૉન ઓફિસર શ્રી કપુપરા ભાઈ અને અન્ય તમામ સ્ટાફને શુભકામના આપેલી હતી.

        પ્રાસંગિક ઉદબોધનમાં કેબિનેટ  મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે સરકાર શ્રી દ્વારા લોકડાઉનમાં અને ત્યારબાદ અન્ય લોકોમાં પણ ફરીથી નાનો વેપારી બેઠો થાય સમાજ ફરીથી ઉભો થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આત્મનિર્ભર લોન યોજના આપેલી છે આ યોજનામાં સરકારશ્રીની વ્યાજ સહાય છે જયેશભાઈ રાદડિયા એ સેક્સ પોતાની આગવી છટામાં માર્મિક રીતે ટકોર પણ કરી હતી કે જેમણે લોન લીધેલી છે તેમણે હપ્તા ભરવાના છે રાજ્ય સરકાર  વ્યાજ સબસિડી આપી રહી છે અને જયેશભાઈ પોતે પણ સહકારી અગ્રણી હોય સહકારી ક્ષેત્રના સહયોગથી સરકારશ્રીમાં આ યોજના કઇ રીતે અમલમાં આવી તેનું માર્ગદર્શન પૂરું પાડે

       કાર્યક્રમના અંતે બેંકના ધોરાજી શાખાના કન્વીનર શ્રી લલિતભાઈ વોરાએ આભારવિધિ કરેલ અને બેંકના ઉદ્યમી ગ્રાહકોને લોન તો તેમના ડિજિટલ એકાઉન્ટમાં જમા થઈ ગઈ હતી પરંતુ પ્રતીકરૂપે ચેક વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલો

તેમ જણાવ્યું હતું

      આ પ્રસંગે આરએસએસ ચંદુભાઈ ચોવટીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ વિદ્યાભારતી ગુજરાતના રણછોડભાઈ વઘાસિયા શ્રીમતી મુક્તાબેન વઘાસિયા પૂર્વ નગરપતિ કે પી માવાણી અશ્વિનભાઈ વઘાસિયા અમીશભાઈ હિરપરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર શ્રી ના નિયમ અનુસાર સોશિયલ distance ની જાળવણી કરી હતી 

કાર્યક્રમમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કના કર્મચારી ફોરમ કિશોરભાઈ રાવલ એ તમામ મહેમાનોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા

કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ નાગરિક બેંક શાખાના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(9:58 am IST)