Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જુનાગઢ જિ. શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતા આર.એસ.ઉપાધ્યાય

(વિનુ જોષી) જુનાગઢ તા. ૨૯ : નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા શિવભકતશ્રી ઉપાધ્યાયે ચાર્જ સંભાળતાની સાથે જ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શિક્ષણજગતને લગતા કોઇપણ પ્રશ્ન હોય તો શિક્ષણજગતના શિક્ષકો કર્મચારીઓ રજુ કરશે તો તેનો ત્વરિત ઉકેલ લાવવામાં આવશે.

શિક્ષણને લગતી કોઇપણ સમસ્યા - મુંઝવણ હોય તો વાલીઓએ પણ ઓફિસ સમયમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે સીધો સંપર્ક સાધવા જણાવ્યું છે. કોઇપણ ફરિયાદ સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવવા હંમેશા તત્પર રહીશ તેમ અંતમાં કહ્યું હતું.

(11:12 am IST)