Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

બગસરામાં ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિની શાનદાર ઉજવણી

લોક સાહીત્યકાર મહેન્દ્રભાઇ જોષીને સાહિત્ય એવોર્ડથી સન્માનિત કરાયા

(સમીર વિરાણી દ્વારા) બગસરા,તા.૨૯ : રાષ્ટ્રીય શાયર અને જેમની કર્મભુમિ બગસરા છે તેવા ઝવેરચંદ મેઘાણીજીની૧૨૪મી જન્મજયંતિ શાનદાર ઉજવણી બગસરા નગરપાલિકા તથા મેઘાણી હાઈસ્કુલ દ્વારા કરવામાં આવેલ.

આ સાથે લોક સાહિત્યક્ષેત્રે જેમનુ  મોટુ  પ્રદાન છે તેવા સાહીત્યકાર મહેન્દ્રભાઈ જોષીને સાહીત્ય એવોર્ડથી સન્માનિત કરી મેઘાણી સ્મારક ખાતે મેઘાણીજીની પ્રતિમાને આગૈવાનો દ્વારા સ્મરાજંલી અપણ કરાયેલ.

આ તકે એવોર્ડ પ્રાપ્ત કરનાર મહેન્દ્રભાઈ જોષીએ સાહીત્યની કદર કરનાર નગરપાલિકાને અને સાહીત્યક્ષેત્રે મને આગળ કરનાર મારા પરિવાર થકી આ એવોર્ડનો હકદાર બનેલ છું. તેમ જણાવેલ મેઘાણીજીને નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ પુર્વ પ્રમુખ અશ્વિનભાઈ ડોડીયા, એ.વી.રીંબડીયા, શિવજીભાઈ રૂખડા સહીતના આગેવાનોએ મેઘાણીજીને સ્મરાજંલી આપી યાદ કરવામાં આવેલ.

 આ કાર્યકમમાં  સાહીત્યકારો પાલિકાના સદસ્યઓ, વિવિધ સંસ્થાના આગેવાનોએ, મહેન્દ્ર આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન નિતેષ ડોડીયાએ તથા આભારવિધી આચાર્ય રામસીંગ પરમારે કરેલ.

(11:27 am IST)