Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સુરેન્દ્રનગર સ્થિત સ્વામિનારાયણ બહેનોના મંદિરના સત્સંગી યોગીબાનું અવસાન

બહેનોના મંદિરના સત્સંગી બહેનોમાં શોકની લાગણી ફેલાઇ

વઢવાણ,તા. ૨૯: સત્સંગ સમાજને ન પૂરાય એવી ખોટ આપણા સત્સંગ સમાજને પડી છે. મંદિરમાં અખંડ ભજન કરતા પરમ પૂજય સાંખ્ય યોગી બા કમળાબા ભગવાનના ધામમાં પધાર્યા છે. તેમના દરેક હરિભકતોે દ્વારા અંત દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા બહેનોના સત્સંગી મંદિર સ્વામિનારાયણ મંદિરની અંદર આવેલ બહેનોના સાંખ્ય મંદિરના પરમ પૂજય યોગીબા કમળાબાનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાબાના મંદિરોમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.શૈલેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કમળાબા ના નિધનથી સાંખ્ય યોગી મહિલાઓમાં ભારે ખોટ પડી છે અને બાના નિધનથી ૨૫ હજાર જેટલી મહિલાઓએ બાના દુખદ અવસાનથી શોકની લાગણી વ્યકત કરી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ સાત યોગી બા કમળાબા ની સ્વામિનારાયણ સત્સંગી બેનો પ્રત્યેની એક સરળ અને પોતાને નિખાલસ ભાવના અને સત્સંગી બહેનોને જીવનમાં અને ઉપયોગી દષ્ટાંત સાથે પોતાની આગવી ઓળખ બનાવી હતી .હાલમાં કોરોનાવાયરસને લઈમંદિરના આદેશ અનુસાર સ્વામિનારાયણ સત્સંગી ભાઈ બહેનોએ શ્રદ્ઘાંજલિ અર્પણ કરી અને સાદગીપૂર્ણ રીતે જેમની અંતિમ ક્રિયા કરવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણ વલ્લભદાસ સ્વામી તેમજ મોટા સ્વામી સહિતના અનેક સ્વામીજીએ બાના દુખદ અવસાન શોકની લાગણી સાથે દુઃખ વ્યકત કર્યું હતું જયારે હાથીજણ ગામના શ્રીજી સ્વામી એ પણ દુઃખ વ્યકત કર્યું હતું.

(11:31 am IST)