Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

પોરબંદરના સાગર જવેલર્સવાળા દિલીપભાઇનું કોરોનાથી મૃત્યુઃ જિલ્લામાં વધુ ૧ર પોઝીટીવ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૯ : પારેખ ચકલા ઝવેરી બજારમાં સાગર જવેલર્સ વાળા દિલીપભાઇ (ઉ.વ.પ૦)નું કોરોનાથીમ ૃતયુ થયેલ છે.  જિલ્લામાં ગઇકાલે કોરોના ૧ર પોઝીટીવ કેસ આવ્યા છે.

સાગર જવેલર્સવાળા દિલીપભાઇનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે. સદગતના માનમાં ઝવેરી બજારના વેપારીઓએ બપોર પછી સ્વૈચ્છિક બંધ પાળીને અંજલી અર્પી હતી.

જિલ્લામાં કોરોના પોઝીટીવ નવા ૧ર કેસમાં રાણાવાવમાં ૪૪ વર્ષના પુરૂષ, કુતિયાણામાં પપ વર્ષના મહિલા નવા કુંભારવાડામાં ર૯ વર્ષના યુવક બોખીરાના ૩૪ વર્ષના પુરૂષ ભાણવડના ર૬ વર્ષના યુવકનો સમાવેશ થાય છે. ઉપરાંત પોરબંદર શહેરમાં ખોડીયાર  કોલોની છાંયા સ્વસ્તીક પાર્ક, નવા કુંભારવાડા વિસ્તારમાંથી પોઝીટીવ કેસ આવ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩ર થયો છે. તેમજ અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૬૦૮ પહંોંચી છે. હાલ સારવારમાં ૩૮ દર્દીઓ છે. આઇસોલેશન વોર્ડમાં ૯ દર્દી તેમજ હોમ આઇસોલેશનમાં ૧ દર્દી દાખલ છે. ગઇકાલે ૭ દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

(1:06 pm IST)